સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાએ રવિવારે કહ્યું હતું કે કાનૂની વ્યવસાયમાં સરળ ભાષાનો ઉપયોગ કરવાની જરૂર છે, જેથી લોકો જાણકાર નિર્ણય લઈ શકે અને અજાણતા કોઈપણ ઉલ્લંઘન કરવાથી બચી શકે.
સામાન્ય માણસ સમજી શકે તેવી ભાષા વાપરવા પર ભાર
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધતા, તેમણે કહ્યું હતું કે કાયદા વિવાદોને ઉકેલવા માટે છે અને પોતે વિવાદાસ્પદ બનવા માટે નથી. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે કાયદાની સરળતા એટલે કે સામાન્ય માણસને સમજી શકાય તેવી ભાષાનો ઉપયોગ કરવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
શું કાયદો એક કોયડો છે જેને ઉકેલવાની જરૂર છે? કાયદા વિવાદો ઉકેલવા માટે છે, પોતે વિવાદાસ્પદ બનવા માટે નહીં. કાયદો સામાન્ય માણસ માટે રહસ્ય ન હોવો જોઈએ. કાયદાઓ એવી રીતે ન લખવા જોઈએ કે માત્ર કાનૂની નિષ્ણાત જ તેને સમજી શકે. કાયદાઓ આપણા રોજિંદા જીવનમાં લગભગ દરેક વસ્તુનું નિયમન કરે છે. તેથી સરળ ભાષાનો ઉપયોગ જરૂરી છે.
કાયદાકીય વ્યવસાયમાં સરળ ભાષાનો ઉપયોગ કરવાની જરૂર છેઃ જસ્ટિસ ખન્ના
તેમણે કહ્યું કે કાનૂની વ્યવસાયમાં સરળ ભાષાનો ઉપયોગ કરવાની જરૂર છે જેથી લોકો જાણકાર નિર્ણય લઈ શકે. આ આપણા ચુકાદાઓ અને નિર્ણયોને સમાન રીતે લાગુ પડે છે.

