
ભારતની એક મિસાઈલ પાકિસ્તાન પંજાબના મિયાં ચન્નૂ શહેરમાં 9 માર્ચે અચાનક જઈને પડી હતી. અચાનકથી મિસાઇલ પડતાની સાથે જ ત્યાં રોડ પર પસાર થતાં વાહનોના કાંચ તૂટ્યા હતા તેમજ અમુક મકાનો પણ જમીન દોષ થયા હોવાની માહીતી મળી રહી છે અને તેના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો

ભારતે આ ગંભીર મુદ્દાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. આ તમામની વચ્ચે રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, મિસાઈલમાં એક ટેકનિકલી ખામી હતી, જેને લઈને આવું થયું છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મિસાઈલનું રૂટીન મેંટનેસ કરવામાં આવી રહ્યું હતું, પણ ટેકનિકલી ખામીના કારણએ તેને અચાનક ઉડાન ભરી અને પાકિસ્તાનમાં જઈને પડી હતી. આ ઘટના પર રક્ષામંત્રાલયે ઉંડા ખેદની લાગણી વ્યક્ત કરી છે.