Site icon Meraweb

જામનગરમાં તાજિયા વીજ વાયરને અડી જતાં 10 લોકોને શોક લાગ્યો! બેનાં મોત

In Jamnagar, 10 people lost their lives after falling on a power line! Two deaths

જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે દુર્ઘટના બનવા પામી છે. રાજ્ય ભરમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ જુલૂસ યોજાયુ હતું. ત્યારે આ દરમિયાન એક તાજીઓ જીવતા વીજ વાયરને સ્પર્શી જતાં કેટલાક લોકોને લાગ્યો હતો. આ શોક સર્કિટના કારણે બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 10 જેટલા બીજા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં બે વ્યક્તિઓની હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી રહી છે.

જામનગર શહેરમાં આ ઘટેલી આ ઘટનાની વિગતોની જો વાત કરીએ તો , દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરના જુદા જુદા વિસ્તારોમાં તાજીયાઓનો ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં ધરારનગર બે વિસ્તારમાં આ ઝુલુસ આગળ વધી રહ્યું હતું ત્યારે મોટી ઊંચાઈ ધરાવતો તાજીઓ પરથી પસાર થતાં 11 કેવીના જીવંત વાયરને સ્પર્શી ગયો હતો. જેને લઈને શોર્ટ સર્કિટ થતા અફરતાફરીનો માહોલ સર્જાયો હતો.

શોક સર્કિટ લાગતાની સાથે જ તાજીયાની નજીક રહેલા 10 થી 12 યુવાનોને વીજ શોક લાગ્યો હતો. જેને લઈને તેઓને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ધરારનગરમાં રહેતા આસિફ યુનુસ મલેક અને મહંમદ વાહીદ નામના બે યુવાનોના મોત થયા છે. આ ઘટનાને લઈને શહેરભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.