Site icon Meraweb

CM+CR+રત્નાકર સાથે દિલ્હીમાં ! ટિકિટોનું થશે મંથન, ભાજપ જ્ઞાતિ સમીકરણો બેસાડશે

ગુજરાતમાં મોદી ગુજરાત આવે એ પહેલાં CM અને CRએ દિલ્હીનું તેડું આવ્યું છે. ચૂંટણી પહેલાં આગામી રણનીતિ ઘડવા માટે મોદીએ દિલ્હી બોલાવ્યા છે સાથે સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ પહોંચી રહ્યાં છે. મોદી ગુજરાતમાં 3 દિવસ રહ્યાં બાદ પહોંચેલા રિપોર્ટને પગલે સીએમ અને સીઆરનો ઉધડો લેવાય તો નવાઈ નહીં. હાલમાં સરકાર સામે એન્ટિઈન્કમ્બસીનો માહોલ અને સભાઓમાં ઓછી ભીડના અહેવાલો દિલ્હી સુધી પહોંચ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દિલ્હી રવાના, હાઇકમાન્ડ સાથે ઉમેદવારો નક્કી કરવા તાત્કાલિક દિલ્હી પહોંચ્યા છે. એમની સાથે કે કૈલાસનાથન અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી પહોંચ્યા છે.

ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખો જાહેર ન થવા અંગે રાજકીય નિષ્ણાતો કહે છે, હજી ગુજરાતમાં ઘણાબધા સરકારી કાર્યક્રમો બાકી છે. એક તો ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજિત છે, જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. મોદીના કાર્યક્રમોને પગલે ઈલેક્શન કમિશન પણ ચૂંટણી જાહેર કરશે એવી સંભાવના પણ ઓછી હતી. એ શક્યતાઓને આધારે જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી. 

રાજ્યમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટ 182 છે. જેમાંથી 40 સીટ અનામત છે. 13 સીટ અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 સીટ અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017ની ચૂંટણીની વાતો કરીએ તો ભાજપે અહીં સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવી સરકાર બનાવી હતી. રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠછે. જે પૈકી હાલની સ્થિતિ પ્રમાણે ભાજપ પાસે 111 બેઠક છે. કોંગ્રેસ પાસે 62, બીટીપી પાસે 02, એનસીપી પાસે એક બેઠક છે.  હાઈકોર્ટના આદેશના કારણે ચૂંટણી એક બેઠક પર ચૂંટણી રદ થઈ છે. તો વળી વિધાનસભામાં ચાર બેઠક ખાલી છે.  વિધાનસભામાં ભાજપ પાસે બહુમતી છે. જેની સામે કોંગ્રેસ પાસે 62 બેઠક છે. વિધાનસભાની ઊજા અને વિસાવદર બેઠક ખાલી છે. ઊઝા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલના નિધન બાદ આ બેઠક ખાલી છે અને વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય હર્ષદ રીબડિયા તાજેતરમાં ભાજપમાં સામેલ થયા છે. જેથી આ બેઠક ખાલી પડી છે.

સીઆરની રણનીતિ ભાજપને તારી રહી નથી જેથી દિલ્હીથી નવી રણનીતિ ઘડાય તો નવાઈ નહીં. મોદી ગુજરાતમાં ફરી આવે એ પહેલાં સરકાર અને ભાજપ સંગઠન મામલે મોદી સુધારાઓ સૂચવે તેવી ચર્ચાઓ છે. ગુજરાતમાં આ વર્ષે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. દિલ્હી પહોંચેલા રિપોર્ટોએ એ સાબિત કરી દીધું છે કે સ્થાનિક લેવલથી દિલ્હીને ઉંધા ચશ્મા પહેરાવાઈ રહ્યાં છે. મોદીએ 3 દિવસ ગુજરાતમાં નજરે જોયા બાદ એ સમજી ચૂક્યા છે કે જેવું કાગળ પર ચિતરાઈ રહ્યું છે અને વાસ્તવિકતા બંને અલગ છે. ભાજપના સ્થાનિક નેતાઓ 130થી 140 સીટોના જીતનો ટાર્ગેટ મૂકી મોદી સામે પ્રેઝન્ટેશન કરી રહ્યાં છે પણ ગુજરાતમાંથી મોદીને અલગ રિપોર્ટ મળી રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં માહોલ બદલાયો છે. જેને ભાજપની ફેવરમાં કેમ કરવો એ મામલો વધુ ચર્ચાય તેવી પણ સંભાવના છે.   

ગુજરાતમાં ભાજપ ભલે વિકાસ અને જીતનો મોટો દાવો કરે પરંતુ મળતા આંકડા પ્રમાણે ભાજપની બેઠક 2002 બાદ સતત ઘટી છે. 2002માં ભાજપને 182 પૈકી 127 બેઠક મળી હતી. જે બાદ 2007ની ચૂંટણીમાં ભાજપને 117 બેઠક મળી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને 115 અને 2017ની ભાજપ 100ની અંદર આવી ગયુ હતુ. 2017ની ચૂંટણીમાં ભાજપને  માત્ર 99 બેઠક મળી હતી. કોંગ્રેસને 1998માં 53 બેઠક મળી હતી. જેની સરખામણીમાં કોંગ્રેસને 2017માં 77 બેઠક મળી હતી. એટલે કે રાજ્યમાં કોંગ્રેસ મજબૂત થઈ અને ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ખોખલી થઈ હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસને 59 બેઠક મળી હતી. જે 2012માં વધીને 61 થઈ હતી.