આમ કેમ ભણશે ગુજરાત? શિક્ષકોની ઘટ્ટ છે , શાળામાં મેદાન નથી , જામનગરની શાળાઓની આવી કાઇક છે સ્થિતિ…

જામનગર શહેરમાં નગર પ્રથામિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ જોવા મળી રહી છે….શાળાઓમાં શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન પણ ઘણી શાળાઓમાં નથી…ત્યારે આવો જોઈએ શું છે જામનગર શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ  હેઠળની શાળાઓની શું છે સ્થિતિ ?? વિદ્યાર્થીઓની સંખ્યાની સામે શું છે શિક્ષકોની સંખ્યા ?? કેટલી શાળાઓમાં મેદાન છે ?? કેટલી મેદાન વગરની શાળાઓ છે ?? આવો જોઈએ આ અહેવાલમાં ……..

રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાતના નારા લગાવી અને શિક્ષણ નીતિ પર મોટા પાયે ઢંઢેરો પીટવામાં આવે છે….. પરંતુ સરકારી શાળાઓની સ્થિતિ જોઈને એવું લાગે છે કે આમાં કેમ ભણશે ગુજરાત?? કારણકે શાળાઓ છે તો શિક્ષકો નથી, શાળાઓમાં બાળકોને રમવા પૂરતા મેદાન નથી , અને કોઈ શાળાઓમાં જો મેદાન હોય તો વ્યાયામ શિક્ષકો નથી….. 

જામનગર એક એવું શહેર છે કે જેને અનેક ક્રિકેટરો આ દેશને આપ્યા છે…. એટલે ટૂંકમાં કહીએ તો રમત ગમત સાથે જામનગરનો ખુબ જ જુનો સંબધ છે… પરંતુ હવે ના બાળકોને રમવા માટે શાળાઓમાં પૂરતા મેદાન નથી….. આમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ત્રણ કેટેગરી બનાવવામાં  આવી છે…. એક મોટા મેદાન વાળી શાળા, મધ્યમ મેદાન વાળી શાળા અને એક મેદાન વગરની શાળા…. પરંતુ નાના મેદાન વાળી શાળા જે આ કેટેગરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવી છે ….. આ દ્રશ્ય જોઈને આપ પણ ચોંકી ગયા હશો પરંતુ , જી હા નાના મેદાન વાળી શાળા એટલે કે જે શાળામાં વિશેષમાં બાળકો ત્યાં બેસીને નાસ્તો કરી શકે અને હર ફર કરી શકે તેવી શાળાને નાના મેદાન વાળી શાળા ગણવામાં આવે છે…..જામનગરમાં 45 શાળાઓ માંથી માત્ર ચાર જ શાળાઓમાં મોટા મેદાન વાળી શાળા છે, 33 શાળાઓ એવી છે  જે આપે હમણાં ફોટોમાં જોયું એ જોઈ તેવી નાના મેદાન વાળી શાળાઓ છે અને આઠ શાળાઓ તો કેવી છે કે જેમાં બાળકો માટે નાનું કે મોટું કોઈ મેદાન જ નથી…….

જામનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સંઘ હેઠળની શાળાઓની  સ્થિતિની વાત કરીએ તો જામનગરમાં કુલ 45 શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવેલી છે…. જેમાં ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે ત્રણ શાળાઓ અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 42 શાળાઓ આવેલી છે….. આ 45 શાળાઓમાં 15 કુમાર શાળા ,  19 કન્યાશાળા અને ૧૧ મિશ્ર શાળા આવેલી છે…… આ 45 શાળાઓમાં અભ્યાસ કરતાં કુલ વિદ્યાર્થીઓ 12416 છે….. તેમના માટે કુલ 416 વર્ગો આપેલા છે અને તેમને ભણાવવા 401 શિક્ષકોનું સેટપ મંજૂર થયેલ છે તેમની સામે કામ કરતાં શિક્ષકો ની સંખ્યા 349 જ છે…..જેમાં કુલ 52  શિક્ષકોની ઘટ્ટ છે….12416 વિદ્યાર્થીઓ માટે માત્ર 4 વ્યાયામ  શિક્ષકો છે…..અને 45 શાળાઓ માટે કુલ 23 એચ. ટાટ આચાર્ય છે…..

૧૯૯૮ અને ૨૦૦૦ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કુલ ૬૨ શાળાઓ કાર્યરત હતી જમા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અંદાજીત સંખ્યા ૧૮૫૦૦ હતી…. 2022માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 45 શાળાઓ છે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૪૦૦ ની આસપાસ છે…… ત્યારે એમ કહી શકાય કે દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળા બંધ થાય છે અને વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર ઘટાડો થતો જાય છે…… સુવિધા અને શિક્ષકોના અભાવના કારણે વાલીઓ તેમના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે સરકારી શાળામાં ભણાવવું પસંદ કરતા નથી…. આથી તેમને ખાનગી શાળાઓમાં એડમિશન અપાવે છે……

આ વાત માત્ર જામનગર મહાનગરપાલિકાની હતી પરંતુ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો કુલ ૨૫૦૦ થી ૩૦૦૦ શિક્ષકોની ઘટ હોવાનું ખુદ નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખે જણાવ્યું છે…… તેમના જણાવ્યા અનુસાર નવી ભરતી કર્યા બાદ પણ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓની સંખ્યા ની સામે દસ હજાર શિક્ષકોની ઘટ હજુ પણ છે……ત્યારે આમાં કેમ ભણશે ગુજરાત ?? તે સવાલ ચોક્કસથી અહીં થઈ રહ્યો છે….

સરકાર શિક્ષણ નીતિ ને લઈને જે મોટા મોટા બળંગાઓ ફૂંકી રહી છે તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ પર મોટા પાયે રાજનીતિ થઇ રહી છે…. શિક્ષણના મુદ્દાને લઈને વિરોધ પક્ષ વિરોધ કરી રહી છે તો સરકાર ગુજરાત શિક્ષણ નીતિના વખાણ….. રાજકીય પક્ષો તેમનું કામ કરતા રહેશે પરંતુ વાસ્તવિકતા સ્તરે સરકારી શિક્ષણની સ્થિતિ દયનીય છે તે હકીકત છે… આથી સરકાર વહેલામાં વહેલી તકે શિક્ષકોની ઘટ પૂરી કરે અને સરકારી શાળાઓ પરથી લોકોનો ઉઠેલો વિશ્વાસ એ ફરી લાવે તેવી લોક માંગ ઉઠી છે…..