જામનગર મહાનગરપાલિકાના બે તબીબોના સંવાદ સામે આવતા સરકાર એક્શન મોડમાં આવી છે.રાતોરાત અડધો લાખ વેકસીન ડોઝ જામનગર મોકલ્યા છે.મહાનગર પાલિકાના વેટરનરી ડોકટર સંવાદ વેકસીનનો જથ્થો ખૂટી ગયાની વાતનો ઉલ્લેખ કરાયો હતો.અને જથ્થો ખૂટી પડતાં પશુઓને પાણીના ઇન્જેક્શન આપી દેવાની વાતનો ઉલ્લેખ પશુ તબીબ અને વેક્સિનેટર વચ્ચે કરવામાં આવ્યો હતો.

જામનગર શહેરમા હાલ સુધી 477 લપ્મી વાયરસના કેસ નોંધાયા છે, જ્યારે જીલ્લામા 3141 કેસ નોંધાયા છે..જેમાથી 55 જેટલા પશુના મોત લમ્પીમા કારણે થતા હોવાનો સરકારી ચોપડે નોંધાયેલા છે..

શહેરમા 8130 પશુઓને વેકસીન આપવામા આવેલ છે. અને જીલ્લામા 59125 પશુને વેકસીન આપવામાં આવેલ છે.મહાનગર પાલિકાના વેટરનરી ડોકટરના સંવાદનો ઓડિયો વાયરલ થતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે.મહાનગર પાલિકા દ્વારા વેટરનરી ડોકટરને ગઈકાલે જ છુટા કરી દેવાયા છે.