Site icon Meraweb

બેન્ક ગ્રાહકો માટે સારા સમાચાર: જાણો નાણામંત્રીએ શું કરી મોટી જાહેરાત

Good news for bank customers: Know the big announcement made by the Finance Minister

The Minister of State for Commerce & Industry (Independent Charge), Smt. Nirmala Sitharaman addressing a press conference, in New Delhi on October 14, 2016.

બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર છે. હકીકતમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કિંગ સિસ્ટમ વિશે જરૂરી નિવેદન આપ્યું છે. નાણામંત્રીએ બેન્કોને તે આદેશ આપ્યો કે તે ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે બેન્કિંગ સિસ્ટમને સરળ બનાવે. નાણામંત્રી સીતારમણનું કહેવું છે કે બેન્કોએ ગ્રાહકોની સુવિધાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે જેનાથી લોન લેવા માટે તેની પ્રક્રિયા સરળ બની શકે.અને તેનાથી વધુમાં વધુ લોકો બેન્ક સાથે જોડાઈ શકે.નાણામંત્રીએ તે સલાહ આપી કે લોન લેવાના માપદંડોને તંદુરસ્ત બનાવવા જોઈએ, જેથી સામાન્ય લોકો માટે બેન્કિંગ સાથે જોડાયેલા કામ સરળ બની શકે. હકીકતમાં થોડા દિવસ પહેલા ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં નાણામંત્રીએ આ સલાહ આપી હતી. તેમાં નાણામંત્રીએ બેન્કોને આ સૂચનનો અમલ કરવાની વાત કહી હતી.

નાણામંત્રીના આ સૂચન પર અમલ કરવાથી એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ સહિત તમામ બેન્કોના ગ્રાહકોને ફાયદો મળશે. એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ જણાવ્યુ કે સ્ટાર્ટઅપની ચિંતા વધુ ઇક્વિટીને લઈને છે. બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરવામાં આવી હતી.નાણામંત્રીએ એ પણ કહ્યું કે બેન્કોએ વધુમાં વધુ ગ્રાહક અનુકૂળ બનવાની જરૂર છે. પરંતુ તે પ્રતિકૂળ જોખમ લેવાની મર્યાદા સુધી ન હોય.પરંતુ તમારે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખી અને વધુ અનુકૂળ થવાની જરૂર છે.