લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ દેશ વાસીઓને 5 વચનો લેવા અહવાહન કર્યું

From the Red Fort, Prime Minister Modi urged the countrymen to take 5 promises

આજે ભારત માટે ખાસ દિવસ છે આજથી 75 વર્ષ પહેલા ભારતને અંગ્રજો તરફથી આઝાદી મળી હતી. તે વાતને આજે 75 વર્ષ પુરા થયા છે અને આખો દિવસ ભારે હર્ષોલ્લાસથી તેની ઉજવણી કરી રહ્યો છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. આ પછી પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ તેમના ભાષણમાં પાંચ મોટા વચનો લેવાનું લોકોને આહવાન કર્યું હતું. 

From the Red Fort, Prime Minister Modi urged the countrymen to take 5 promises

પીએમ મોદીએ કહ્યું કે ભારત જેવી લોકશાહીમાં જ્યાં લોકો ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે. એક તરફ એવા લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી. બીજું એ લોકો છે. જેમની પાસે લૂંટાયેલા પૈસા રાખવાની જગ્યા નથી. આપણે ભ્રષ્ટાચાર સામે લડવું પડશે. જેમણે પાછલી સરકારોમાં બેંકોને લૂંટીને ભાગી ગયા હતા. અમે તેમની સંપત્તિ જપ્ત કરી રહ્યા છીએ. ઘણા લોકો જેલમાં છે. અમારો પ્રયાસ એ છે કે જે લોકોએ દેશને લૂંટ્યો છે તેમના માટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે તેમને લૂંટેલા પૈસા પાછા આપવા પડે. મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર ઉધઈની જેમ દેશને ખોખલો કરી રહ્યો છે. મારે તેની સામે લડવું પડશે. મારે તેની સામેની લડત વધુ તીવ્ર બનાવવી પડશે. મારે 130 કરોડ ભારતીયોના સમર્થનની જરૂર છે જેથી હું આ ભ્રષ્ટાચાર સામે લડી શકું. 

advertise

પીએમ મોદીએ કહ્યું કે ભારતની સામે બે મોટા પડકાર છે, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ. તેમણે કહ્યું કે આપણે દેશને આ બે મોટા પડકારોથી છોડાવવો પડશે. પરિવારવાદની રાજનીતિમાંથી મુક્ત કરવો પડશે. મોદીએ કહ્યું કે દેશને પરિવારવાદમાંથી મુક્ત કરવા માટે હું દેશના યુવાનોનો સહયોગ માગું છું. 

પીએમ મોદીએ યુવાનોને અપીલ કરી હતી કે આઝાદીના 100 વર્ષ પૂરા કરવા માટે અત્યારથી સંકલ્પ લો કે પછી તે વિકસિત દેશ બનશે. માણસ વિકાસના કેન્દ્રમાં રહેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરી રહ્યો છે, ત્યારે યુવાનોની ઉંમર 50-55 વર્ષ હશે. પીએમ મોદીએ દેશના લોકોને 2047 માટે પાંચ વચન લેવાનું આહવાન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના દરેક નાગરિકે  વિકસીત ભારત, દરેક પ્રકારની ગુલામીની મુક્તિ, હેરિટેજનું ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા એવા પાંચ વચનો લેવા જોઈએ. 

From the Red Fort, Prime Minister Modi urged the countrymen to take 5 promises

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 5 વચનો લેવડાવ્યાં 

1.  વિકસિત ભારત – હવે દેશ મોટા સંકલ્પો સાથે આગળ વધશે, અને તે મોટો સંકલ્પ ભારત વિકસિત છે અને તેનાથી ઓછું કંઈ નથી.
2. ગુલામીમાંથી મુક્તિ- જો આપણા મનની અંદર ગુલામીનો જરા સરખો પણ અંશ રહી ગયો હશે તો આપણે તેમાંથી નહીં છટકી શકીએ. 
3. હેરિટેજનું ગોરવ- પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણા વારસા પર ગર્વ કરવો જોઈએ. આ વારસાએ જ ભારતને સુવર્ણ કાળ આપ્યો છે. તે એક વારસો છે જેમાં સમયાંતરે ફેરફારો કરવાની ક્ષમતા છે.
4. એકતા- પીએમ મોદીએ ચોથું વચન એકતાનું લેવડાવ્યું હતું.
5. નાગરિકોને પોતાની ફરજ બજાવવાના સંકલ્પ – પીએમ મોદીએ કહ્યું લોકોએ પોતાની ફરજો સારી રીતે બજાવવાનું વચન લેવું જોઈએ આમાંથી પીએમ, મુખ્યમંત્રી પણ બાકાત  નથી.