પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો આજે 91મો જન્મદિવસ, PM મોદીએ શુભેચ્છાઓ પાઠવી

Former Prime Minister Manmohan Singh's 91st birthday today, PM Modi wished

ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનો આજે 91મો જન્મદિવસ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

‘હું લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું’

PM મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું- પૂર્વ PM ડૉ. મનમોહન સિંહ જીને જન્મદિવસની શુભેચ્છા. હું તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

મનમોહન સિંહનો જન્મ 1932માં થયો હતો

તમને જણાવી દઈએ કે, મનમોહન સિંહનો જન્મ 1932માં થયો હતો. તેમણે 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ 1991 થી 1996 સુધી તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની સરકારમાં નાણામંત્રી હતા. તેમને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આર્થિક સુધારાના મુખ્ય આર્કિટેક્ટ માનવામાં આવે છે.

મનમોહન સિંહ રાજ્યસભાના સભ્ય છે

હાલમાં ડૉ.મનમોહન સિંહ રાજ્યસભાના સભ્ય છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. સંસદની કાર્યવાહી દરમિયાન તેઓ ખુરશી પર બેઠેલા પણ જોવા મળ્યા છે.