પૂર્વ આવકવેરા અધિકારી ભ્રષ્ટાચારના કેસમાં આરોપી, CBIએ કેસ નોંધ્યો

Former Income Tax officer accused in corruption case, CBI registers case

સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં ભૂતપૂર્વ એડિશનલ ઈન્કમ ટેક્સ કમિશનર સંતોષ કરનાની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે સંતોષ સામેનો આરોપ છે કે તેણે જમીનના બદલામાં એક બિલ્ડર સાથે ગોપનીય માહિતી શેર કરી હતી અને તેને અપીલ ટ્રિબ્યુનલમાં કેસ જીતવામાં મદદ કરી હતી.

CBIને કરનાનીના બે ફોનની ફોરેન્સિક તપાસ દ્વારા ભ્રષ્ટાચારની માહિતી મળી હતી. આરોપ છે કે જ્યારે ACB ગુજરાતની ટીમ ફરિયાદ મળ્યા બાદ કરનાનીની ઓફિસે પહોંચી ત્યારે તે ઓફિસમાંથી ભાગી ગયો હતો. નાસી છૂટતા પહેલા તેણે આસિસ્ટન્ટ ઈન્કમ ટેક્સ કમિશનર વિવેક જોહરીને બે મોબાઈલ હેન્ડસેટ આપ્યા હતા.

CBI Officer Accuses Senior Of 'Fake Encounter Of 14 People', Writes To PMO

ઝવેરીએ કરનાનીને ભાગવામાં મદદ કરી અને તેનો મોબાઈલ હેન્ડસેટ સાબરમતી નદીમાં ફેંકી દીધો. બાદમાં સીબીઆઈએ સોનાર ટેક્નોલોજીની મદદથી બંને ફોન રિકવર કર્યા હતા. ફોન ડેટા પરથી જાણવા મળ્યું છે કે કરનાનીએ ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ સાથે સત્તાવાર માહિતી શેર કરી હતી.

જાણવા મળ્યા મુજબ સંતોષે તેની પત્ની આરતીના નામે 40 લાખ રૂપિયામાં બિનખેતીની જમીન ખરીદી હતી. જ્યારે આ પ્લોટની બજાર કિંમત 3.5 કરોડની આસપાસ છે.