ભારતીય ટીમે શાનદાર દેખાવમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે. વર્તમાન વર્લ્ડ કપમાં ભારતની આ સતત છઠ્ઠી જીત છે અને આ સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
રોહિત શર્માએ અજાયબી કરી બતાવી
ઈંગ્લેન્ડ સામેની મેચ રોહિત શર્માની કેપ્ટન તરીકેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ હતી અને તેણે કેપ્ટન તરીકે 100મી મેચ જીતી હતી. બીજી તરફ વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે પોતાની 100મી મેચ જીતી શક્યા નથી. આવી સ્થિતિમાં રોહિત શર્માએ પોતાની 100મી મેચમાં તે સિદ્ધિ મેળવી છે જે ધોની અને વિરાટ પણ કરી શક્યા નથી.
મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે પોતાની 100મી મેચ શ્રીલંકા સામે રમી હતી અને આ મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે પોતાની 100મી મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી અને આ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આવો છે કેપ્ટનશિપનો રેકોર્ડ
T20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. તેણે શ્રીલંકાને હરાવીને એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો. ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરી રહી છે. રોહિત શર્માએ 100 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી ભારતે 74માં જીત મેળવી છે અને માત્ર 23 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 6 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. પોઈન્ટ ટેબલમાં ભારત 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ભારતીય ટીમનો નેટ રન રેટ પ્લસ 1.405 છે.