Dalai Lama: તિબેટના ધર્મગુરુ દલાઈ લામા એઈમ્સમાં દાખલ, મેડિકલ ચેકઅપ માટે આવ્યા હતા દિલ્હી

dalai lama, gujarati news, latest news, national news, AIIMS

તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે દલાઈ લામાને રવિવારે સાંજે નવી દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

તિબેટના ધર્મગુરુ દલાઈ લામા AIIMSમાં દાખલ

સૂત્રોએ જણાવ્યું કે તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ કાર્ડિયોલોજીના પ્રોફેસર ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ છે. સૂત્રોએ જણાવ્યું કે દલાઈ લામા મેડિકલ ચેકઅપ માટે દિલ્હી આવ્યા હતા, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.