જામનગરમાં લંપી વાયરસના કારણે ગાયોના ટપોટપ મોત , સરકારી ચોપડે એક પણ મોત નહીં!!

જામનગરમાં છેલ્લા થોડા સમયથી ગાયોમાં લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે અને તેના કારણે ગાયોના ટપોટપ મોત થઈ રહ્યા છે. લંપી વાયરસના કારણે 90 ગાયોના મોત થયા હોવાનો કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ દાવો કર્યો હતો. પરંતુ સરકારના ચોપડે સબ સલામતના મોટા દાવાઓ કરવામાં આવે છે, તંત્ર ગાયોના મોતના આંકડા છુપાવી રહ્યું હોવાના આક્ષેપ કરાયા હતા.

કોંગ્રેસના કોર્પોરેટરે ગાયોના જીવ બચાવવા અંગે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. વહેલામાં વહેલી તકે તંત્ર કોઇ કાર્યવાહી કરે અને ગાયોને કોઈ ચોક્કસ દવા અને રસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

જામનગરમાં ગાયોમાં આ રોગ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે…. જામનગરના જ અમુક ચોક્કસ વિસ્તારોમાં જેમકે રામેશ્વર નગર , નવાગામ ઘેડ , ગાંધીનગર , મચ્છર નગર જેવા વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યા છે…. અને જામનગર છેલ્લા 11 દિવસમાં ૯૦ થી વધુ ગાયોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે….

આટલી ગાયોના મોત થયા પણ તંત્ર શા માટે મૌન ?છેલ્લા 11 દિવસમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ને ઉપરાંત ગાયોના મોત આ વાયરસના કારણે થયા છે….

મહાનગરપાલિકા તંત્રને જ્યારે મેરા વેબ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે કોઈપણ પશુના મોત થાય તો તેના મૃતદેહને ઉપાડી અને તેના નિકાલ કરવાની અમારી કામગીરી હોય છે શેના કારણે મોત થયું તે અમારામાં આવતું નથી , મોતનું કારણ અને બીમારી વગેરે બાબતની માહિતી પશુપાલન ખાતાએ જાળવવાની હોય છે…. મેરા વેબ દ્વારા પશુપાલન ખાતાના અધિકારીઓની પણ મુલાકાત લેવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે હા ૯૦ જેટલી ગાયોના મોત થયા છે તેવું તેમના ધ્યાન એ પણ આવ્યું છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા તેમને કોઈ જાણ કરવામાં આવી નથી….. તો બીજી તરફ મહાનગરપાલિકા એમ કહે છે કે અમને આ વાઇરસને લઈને થયેલા મોત અંગે કોઈ માહિતી જાળવવા માટે કોઈએ કહ્યું નથી આથી રુટીન પ્રક્રિયા મુજબ મરેલા પશુઓને ઉપાડી અને તેનો નિકાલ અમે કરીએ છીએ…. એટલે કે બંને વિભાગો જવાબદારીથી છટકવા એકબીજાને ખો આપી રહ્યા છે….

શું કામગીરી કરાઈ ??

જામનગરમાં ગાયોમાં વકરતા જતા આ વાયરસને કાબૂમાં લેવા માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે…જેમાં અત્યારસુધીમાં જામનગરમાં કુલ ૧૮૭૪ ગાય વર્ગના પ્રાણીઓને રસી મૂકવામાં આવી છે…કુલ ૨૦૨ પશુઓમાં આ વાયરસ જોવા મળ્યો છે અને ૨૦૨ ગાયોને સારવાર આપવામાં આવી છે…આ રોગમાં પશુપાલન વિભાગના રિપોર્ટ મુજબ એક પણ ગાયનું મોત આ વાયરસનાં કારણે ન થયું હોવાની સતાવાર માહિતી જાહેર કરવામાં આવી છે…પરંતુ બીજી તરફ મનપા દ્વારા ગાયોના મૃતદેહને નિકાલ કરવામાં આવ્યા છે તેવી ૯૦ જેટલી ગાયોના મોત થઈ હોવાની માહિતી હોવાનું ખુદ પશુપાલન વિભાગે સ્વીકાર કર્યો છે ..

વાયરસનાં કારણે પશુઓના મોત થાય છે તેમાં પણ કોરોનાની જેમ મોતના આંકડા છુપાવવાનો કોર્પોરેટરનો આરોપ આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાવાયરસ એ લાખો લોકોના જીવ લીધા છે પરંતુ તંત્ર દ્વારા લોકોના મોતના આંકડા છૂપાવવામાં આવ્યા હતા… એમ જ આ વાયરસના કારણે અનેક ગાયોના મોત થઈ રહ્યા છે…. પરંતુ સરકારી ચોપડે એક પણ ગાયનું મોત આ વાયરસના કારણે થયું નથી…. આથી વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોરોનાના સમયે જે રીતે મોતના આંકડા છુપાવવામાં આવતાં હતા એમ જ આ વાયરસના કારણે થતા ગાયોના મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે……

મહાનગરપાલિકા તંત્ર ગાયોના મોતના આંકડાઓ છુપાવે કે બતાવે તે પ્રક્રિયા તો ચાલ્યા જ રાખવાની છે…. પરંતુ ટપોટપ મરતી ગાયોના મોતને અટકાવવા કાઇક ચોક્કસ પગલાં લે અને દવા તેમજ રસીકરણની કામગીરી તંત્ર કરે અને ગાયના મોતને અટકાવે તે અત્યંત જરૂરી છે…