કોરોનાનો ગુજરાતમાં ફરી હલ્લાબોલ! જાણો રાજ્યમાં વાયરસથી શું છે લોકોની પરિસ્થિતી

Corona again in Gujarat uproar! Know what is the situation of the people in the state due to the virus

ગુજરાતમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસોમાં મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. હાલ કોરોના કેસ ભારે સંખ્યામાં વધારો થતા કેસ 900 ની પાર પહોંચી ગયા છે. જેમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 894 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 691 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.71 ટકા જો9વા મળ્યો છે.પરંતુ હજુ પણ અમદાવાદમાં સૌથી વધુ 3295 કેસ નોંધાયા છે.ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં નવા 894 કોરોના કેસ નોંધાયા છે.

Corona again in Gujarat uproar! Know what is the situation of the people in the state due to the virus

બીજી તરફ રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી, જે રાહતભર્યા સમાચાર છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10954 સુધી જોવા મળ્યો છે.રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5099 એક્ટીવ કેસ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,28,955 પર પહોંચી ગયો છે તેમજ છેલ્લા 24 કલાકમાં 1,93,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,28,32,132 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.