ભારતમાં યુદ્ધ એ જ કલ્યાણની પરિસ્થિતીનું નિર્માણ થાય તો આપણો નાગરિક સંરક્ષણ વિભાગ કેટલો છે સક્રિય જુઓ આ અહેવાલ …

હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલું છે. ત્યારે યુક્રેનના નાગરીકોએ હથિયાર ઉપાડવાની ફરજ પડી છે. આવી કોઈ સ્થિતી ભારતમાં થાય અને યુદ્ધ એ જ કલ્યાણની પરિસ્થિતી નિર્માણ પામે  તો નાગરીકોએ શું કરવું, શું ના કરવું તે માટે સિવિલ ડીફેન્સ શાખા (Civil Defense Branch)કાર્યરત હોય છે. પરંતુ દાયકાઓથી યુધ્ધની સ્થિતી ના આવતા આ શાખા હાલ શોભાના ગાંઠીયા સમાન બની રહી છે. રાજયભરમાં આવેલી સીવીલ ડીફેન્સની કચેરીની (Pathetic condition)દયનીય હાલત છે. જેમાં મોટાભાગે સ્ટાફની અછત, કચેરીનુ માળખુ, સાધનો, ઉપકરણો સહીતની અછત જોવા મળે છે.એટ્લે આમ સરળ ભાષામાં કહીયે તો સિવિલ ડિફેન્સ વિભાગ ચોપડે તો છે પરંતુ તેનું અસ્તિત્વ ન હોય તેવું લાગે છે ….

આપણે હમેશા કાગળો પર બધુ વ્યવસ્થિત જ હોય છે એમ સરકારી વિભાગમાં અનેક એવી કચેરીઓ છે. તે કાર્યરત હોવા છતાં નિષ્કિય હોય છે. આવો જ વિભાગ છે સીવીલ ડીફેન્સ. જે સરકારી કાગળો પર સક્રિય છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તે અનેક કારણોસર નિષ્કિય બન્યુ છે.

અત્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં જો પરિસ્થિતી વણસે અને જો વિશ્વ યુદ્ધ થાય  તો ભારતમાં યુધ્ધ જેવી સ્થિતી આવે તો તે સમયે સામાન્ય નાગરીકો કેવી રીતે મદદરૂપ બની શકે અને પોતાની અન્ય લોકોની રક્ષા અને મદદ કેવી રીતે કરી શકે તે અંગેની માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપવાની કામગીરી નાગરિક સંરક્ષણની કચેરી દ્વારા કરવામાં આવે છે. પાડોશી દેશ સાથે સંબંધો સારા ન હોવાથી યુધ્ધ થવાની શકયતા રહે છે. અને ભુતકાળમાં પાકિસ્તાન સહીત અનેક દેશો સાથે યુધ્ધ થયા છે. યુધ્ધ થતા ડીફેન્સની વિવિધ પાંખ પોતાની કામગીરી કરી છે.

સિવિલ ડીફેન્સ દ્વારા યુવા સ્વયંસેવકનો મુખ્ય ત્રણ પ્રકારની તાલીમ આપવામાં આવે છે 

 આમ તો સિવિલ ડિફેન્સ વિભાગમાં ઘણી બધી કામગીરી  કરવામાં આવતી હોય છે. જેમાં ભારતમાં  ડીફેન્સના ટ્રેઈન્ડ ઈન્સ્ટ્રકટર દ્રારા યુદ્ધ વખતે મદદરૂપ થઈ શકે તેવા  સ્વયંસેવકની ભરતી કરીને તેમને તાલીમ આપવામાં આવે છે, યુધ્ધમાં જો  લોકોને શારીરિક નુકસાન થાય તેને હોસ્પીટલમાં લાવીને મદદ કરવી , આ ઉપરાંત લોકો  ભયભીત ન થાય તે માટેની કામગીરી કરવાની હોય છે. સિવિલ ડીફેન્સ દ્વારા યુવા સ્વયંસેવકનો ત્રણ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે, જેમાં યુધ્ધ પહેલા શું સાવચેતી રાખવી, યુધ્ધ થાય તો તે વખતે શું કરવું, અને હુમલા બાદ કયાં પ્રકારની કામગીરી કરવી તે અંગેની માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.

શહેરમાં રાખવામાં આવેલા સાયરનો મોટાભાગના બંધ હાલતમાં

યુધ્ધ વખતે સામાન્ય નાગરીક વિવિધ પ્રકારની માહિતી મેળવી શકે તે માટે  શહેરમાં સાયરનો મુકવામાં આવે છે. જેમાં જામનગર કુલ 13 સાયરનો લગાવવામાં આવ્યા છે. પરંતુ તેમાનાં એક પણ ચાલુ નથી . સિવિલ ડીફેન્સની મુખ્ય કામગીરી કટોકટી  વખતે નાગરીકોને રક્ષણ આપવું  તેમજ લોકોને  જાગૃત કરવાની  છે. ગામડે ગામડે  સ્કોડન તૈયાર કરવાના હોય છે. આ માટે તાલીમ ઈન્પેકટર હોય છે જો કે  હાલમાં તે જગ્યા ખાલી છે. તેથી કામગીરી થતી નથી. શહેરમાં 13 સાયરન ગોઠવવામાં આવ્યા છે. તે સ્ટાફના અભાવે બંધ છે. શહેરમાં ફાયર સ્ટેશન, સાધના કોલોની, ધન્વંતરી, ગુલાબનગર, ન્યુ ભારત ઈન્ડ્રસ્ટ્રરી પાસે, નવાગામ, વોરાના હજીરા પાસે, સજુબા હાઈસ્કૂલ સહીતના કુલ શહેરમાં 13 જેટલા સ્થળોએ સાયરનો મુકવામાં આવ્યા છે.

પાકિસ્તાનથી દરીયાઈ માર્ગે ગુજરાત આવેલુ છે. અને યુધ્ધ વખતે દરીયાકિનારાના ગામમાં સીવીલ ડીફેન્સની કામગીરીની જરૂર રહેતી હોય છે. તે હેતુથી ગુજરાતના અનેક દરીયા કાંઠા વારા જીલ્લાઓ સીવીલ ડીફેન્સની કચેરી આવેલી છે. જેમાં સૌથી વધુ દરીયાકાંઠો જામનગર- દેવભુમિદ્વારકા જીલ્લામાં હોય તેથી અંહી કચેરી કાર્યરત છે. પરંતુ માત્ર કચેરી જ કાર્યરત છે જેમાં  માત્ર વહીવટી પ્રક્રિયા, હાજરી આપીને દિવસ ટૂંકો કરવામાં આવે  છે. મહેકમની વાત કરીએ તો કુલ જીલ્લામાં 22નો સ્ટાફ સમાવેશ છે. જેમાંથી માત્ર 8 જયારે ભરાયેલી છે. 14 જગ્યાઓ ખાલી છે. સ્ટાફ ના હોવાથી તાલીમ કે અન્ય કોઈ કામગીરી થતી નથી.

ગુજરાતમાં મુખ્ય 12 જીલ્લાઓમાં નાગરીક સરક્ષણની કચેરી આવેલી છે.

આવી હાલત માત્ર જામનગરની સીવીલ ડીફેન્સ કચેરીની નહીં, પરંતુ રાજયની મોટાભાગની સીવીલ ડીફેન્સ કચેરીની આવી જ દયનીય હાલત છે. જામનગર, ઓખા, વાડીનાર, ગાંધીધામ, ભુજ, નલીયા, ભાવનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત સહીતના વિસ્તારોમાં સિવીલ ડીફેન્સની શાખા છે. પરંતુ સ્ટાફના અભાવે શોભાના ગાંઠીયા સમાન બની રહી છે. ત્યારે ગૃહવિભાગ દ્રારા નાગરીકોની મદદ માટે મુકવામાં આવેલી આ શાખાને ફરી જીવંત કરી અને   મદદ કરે તો આવી કચેરીમાં થયેલી કામગીરી  નાગરિકોને આપાતકાલીન  સ્થિતિમાં મદદરૂપ થઈ શકે છે ..