ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા થયા બાદ દેશમાં ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને બીજી તરફ હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે અને એક મોટો ઓર્ડર આપવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે એક જાહેર નોટિસ આપીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઉદયપુરમાં ઘાતકી હત્યાને પ્રોત્સાહન આપતી અને મહિમા આપતી અથવા વ્યાજબી ઠેરવતી સામગ્રીને તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે.તેમજ ઉદયપુરની ઘટના બાદ કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાજ નજર રાખી છે.
સરકારે જાહેર કરેલી નોટિસમાં કહ્યું હતું છે કે, આ નોટિસ દ્વારા તમને તરત જ એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે કે, ઉદયપુરની ઘટનાને પગલે તમારી સુરક્ષા અને આત્મવિશ્વાસની જવાબદારી નિભાવવામાં તમે કોઇપણ જાતની સુરક્ષા ન કરો આ ઉપરાંત તરત જ તમામ સામગ્રીને દૂર કરો, જેમાં ઓડિયો, વિડિયો, ફોટો અથવા કોઈપણ સ્વરૂપમાં, જે આ હત્યા અને હત્યાને પ્રોત્સાહિત/ગૌરવ/વાજબી ઠેરવતા જણાય છે. જેથી કરીને કોઈપણ ઉશ્કેરણી અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકાય. અને જાહેર શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરો.