ગુજરાતના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા CM ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં અધિનિયમ 2022નો આજથી જ અમલ કરાશે. જનભાગીદારીથી CCTV કેમેરા સિસ્ટમ લગાવાશે. પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજીયાત કરવાના હેતુથી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કે 8 મનપા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે. જેમાં CCTV જાહેર સ્થળોએ લગાવવામાં આવશે. મોટી સંખ્યામાં લોકોની અવર-જવરવાળા સ્થળોએ CCTV કેમેરા લગાવાશે.

ઉલ્લેખનીય છે કે, CCTV કેમેરાને લઇને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સોમવારથી 8 મનપામાં CCTV કેમેરા ફરજિયાત રાખવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. 1 હજારથી વધુ લોકોની અવરજવર હશે ત્યાં CCTV કેમેરા ફરજિયાત રાખવાનો સરકારે આદેશ કર્યો છે. સરકારના આદેશ મુજબ હવેથી જાહેર સ્થળોએ CCTV કેમેરા ફરજિયાત રાખવાના રહેશે. CCTV કેમેરા અને 30 દિવસનો ડેટા ફરજિયાત રાખવા ગુજરાત સરકારે આદેશ કર્યો છે.

એ સિવાય રાજ્યની એક હજાર પ્રાથમિક શાળામાં પણ CCTV કેમેરા લગાવાશે. શિક્ષણ વિભાગે CCTV કેમેરા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે. તાલુકા લેવલની શાળામાં પ્રથમ તબક્કે CCTV લગાવાશે. મહત્વનું છે કે, વર્ષ 2022-23ના બજેટમાં CCTV લગાવવાની જોગવાઇ કરાઇ હતી. 8 ઓગસ્ટ સુધી CCTV માટે રિપોર્ટ બનાવવાનું સૂચન કરાયું. જે માટે TRP, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર અને DEOને જવાબદારી સોંપાઇ.