ભાજપના દિગ્ગજ નેતા ડૉ. ભરત કાનાબારના શિક્ષણ નીતિ પર ગંભીર આક્ષેપો પર અરવિંદ કેજરીવાલે કર્યું રીટ્વીટ કહ્યું ગુજરાતમાં પણ દિલ્લી જેવું શિક્ષણ આપીશું

ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ શિક્ષણ અંગે આપેલા નિવેદનથી શરૂ થયેલો વિવાદ શમે તે પહેલા ભાજપના જ નેતાએ ગુજરાત તેમજ દેશની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ.ભરત કાનાબારે ટ્વીટ કરી સતત કથળતા જતા શિક્ષણના સ્તરને લઇને બળાપો કાઢ્યો.

અમરેલી : દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા ભાજપ આગેવાન.

ભાજપ આગેવાન ડો. ભરત કાનાબાર એ ટ્વિટ કરી બળાપો કાઢ્યો..

‘ક’ કમળ નો  ‘ક’ તો બરાબર ઘુટ્યો, પણ ‘ક્ષ’ શિક્ષણ નો ‘ક્ષ’ કોઈએ ભણાવ્યો જ નહી : ડો. ભરત કાનાબાર

આ દેશમાં શિક્ષણ એક કોમોડીટી બની ચુક્યુ છે : ડો. ભરત કાનાબાર

શિક્ષણ ખરીદનાર અને વેચનાર બન્ને બેશરમ : ડો. ભરત કાનાબાર

ડો. ભરત કાનાબાર અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્લાના વર્તમાન પ્રભારી છે.

ભાજપના આગેવાન દ્વારા જ આ પ્રકાર ના નિવેદન થી વિવાદની સંભાવના.

ક કમળનો ક તો બરાબર ઘુંટ્યો પણ ક્ષ શિક્ષણનો ક્ષ એવું કોઇએ ભણાવ્યું નહી

ભરત કાનાબારે કહ્યું કે ક કમળનો ક તો બરાબર ઘુંટ્યો પણ ક્ષ શિક્ષણનો ક્ષ એવું કોઇએ ભણાવ્યું નહીં. 900 યુનિવર્સિટી અને 40 હજાર કોલેજોના આ દેશમાં શિક્ષણ એક કોમોડિટી બની ચૂક્યું છે જેના ખરીદદાર અને વેચનાર એમ બંને બેશરમ છે… પેપર લીક… પરીક્ષા ચોરી… નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત છે.

ભરત કાનાબારના ટ્વિટ પર દિલ્લીના mukhymantri અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કરી ગુજરાતની શિક્ષણ નીતિ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભાજપના જ નેતાઓ સ્વીકારે છે કે છેલ્લા 27 વર્ષમા ગુજરાતને સારું શિક્ષણ મળ્યું નથી આથી આ વખતે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દિલ્લી જેવું જ શિક્ષણ ગુજરાતમાં પણ આપવામાં આવશે.

ગુજરાતના શિક્ષણમંત્રીને રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનો અરીસો બતાવાતા જેને વિશ્વાસ ન હોય અને ન ગમતું હોય તે લોકો બીજા રાજ્ય કે દેશ ચાલ્યાં જાવની ડંફાસ બાદ હવે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ નિવેદનો મુદ્દે રાજકરણ ગરમાઈ રહ્યું છે.

રાજકોટના ભાજપ પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પોતાના નિવેદનને લઇને ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યાં છે. યુઝર્સે કોણ છે જીતુ વાઘણી નામનો હેશટેગ ચલાવ્યો હતો.