દિલ્હીમાં બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ નક્કી થઈ શકે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવા છે. આ સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે. જેમાં નોમિનેશનની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. આ સ્થિતિમાં આજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી પણ હાજર રહેશે.
જોઈએ તો ઉપપ્રમુખની ચૂંટણીમાં બહુ ઓછા દિવસો બાકી છે. ભાજપ કાર્યાલયમાં મળનારી સંસદીય બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર અંગે ચર્ચા થશે અને તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ હાજર રહેશે.આ બેઠક દરમિયાન જ ભાજપના નેતાઓ NDAમાં રહેલા નેતાઓ સાથે ફોન પર ચર્ચા કરશે અને ત્યાર પછી NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.ભાજપ પાસે હાલ લોકસભામાં 303 સભ્યો છે જ્યારે રાજ્યસભામાં 91 સભ્યો છે. રાજ્યસભામાં આ 91 સભ્યો ઉપરાંત 5 નામાંકિત સભ્યો પણ ભાજપને મત આપી શકે છે.