જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંકવાદીઓએ ફરી એકવાર આતંકી હુમલો કર્યો છે જેમાં એક પોલીસકર્મીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના અચાર સોરા વિસ્તારમાં બની છે હુમલાની પુષ્ટિ કરતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ હોસ્પિટલમાં એક પોલીસકર્મી પર ગોળીબાર કર્યો. આ હુમલામાં તેમની પુત્રી પણ ઘાયલ થઈ છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ સૌરા વિસ્તારના મલિક સાબના રહેવાસી પોલીસકર્મી મોહમ્મદ સૈયદ કાદરીના પુત્ર સૈફુલ્લા કાદરી પર ગોળીબાર કરવામાં આવ્યો છે.
