ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી પર પૂરજોશથી મેદાને છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સીએમ પદના ચહેરાની જાહેરાત કરી દીધી છે. દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આપમાંથી ગુજરાતના મુખ્યપ્રધાન પદના ચહેરાની જાહેરાત કરી છે. ઈસુદાન ગઢવીના નામ પર મહોર મારી છે. ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના લોકો સૌથી મોટા ચહેરા છે.
બીજેપીના 27 વર્ષના શાસનથી મુક્તિ અપાવવા અને ગુજરાતમાં પણ દિલ્હી-પંજાબ મોડલ લાગુ કરવાની નેમ સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મળે તો મુખ્યમંત્રી કોણ બનશે તેમના નામ અંગે જનતા પાસેથી મંતવ્ય મંગાવ્યા હતા. જનતાના મતના પરિણામો જાહેર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યા.