અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ત્યારે આ યાત્રામાં જામનગરના યાત્રિકો પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં વાદળ ફાટતા તમામ યાત્રિકોને સંગમ ઘાટી પાસે રોકી દેવામાં આવ્યા હતા. જેના કારણે યાત્રિકોને ફરજિયાત અધવચ્ચે જ રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે. જેમણે હાલ સંગમ ઘાટી પાસે જ રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા. આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કરાયું છે. સુરત જિલ્લા માટે પણ રાહતના સમાચાર મળી રહ્યા છે.

શ્રદ્ધાળુઓને સેના સતત રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાપર મોકલી રહ્યા છે. એક મહિલા શ્રદ્ધાળુએ જમાવ્યું કે સેનાના જવાન એક-એક તીર્થ યાત્રીને બચાવ્યા છે. જે રીતે સેનાએ અમને બચાવ્યા છે. અમે અમારી સેનાને સલામ કરીએ છીએ. એક અન્ય શ્રદ્ધાળુએ જણાવ્યું કે કેવી રીતે સેનાએ તેને સુરક્ષિત બહાર કાઢ્યા. સેનાએ શ્રદ્ધાળુઓને કહ્યું હતું કે, પહેલા પહાડ તરફ વળગી રહો. જે બાદ તમામને બચાવી લેવાયા હતા.

નોંધનીય છે કે, અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે..જ્યારે 40થી વધુ યાત્રી ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે..શુક્રવારે અમરનાથ ગુફાથી 2 કિલોમીટર દૂર વાદળ ફાટ્યું હતું..જેથી યાત્રીકોના ટેન્ટ વચ્ચેથી ધમસમસતો પાણીનો પ્રવાહ પસાર થયો હતો..જો કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.અને અત્યાર સુધી 3500થી વધુ યાત્રીકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
બાલતાલના સંગમ બેઝના પંજતરની સ્થિત અમરનાથ ગુફામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા લોકોએ ભારતીય સેનાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ લોકોને સેના તરફથી સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. વાદળ ફાટવાની સંભવિત ઘટનાઓને જોતા રામબન જિલ્લાના તમામ એસડીએમ, તહસીલદારોને હાઈ એલર્ટ પર રહેવા માટે આદેશ આપ્યા છે.