Site icon Meraweb

Video : દિલ્હીના મુંડકામાં ભીષણ અગ્નિકાંડ, ઈમારતમાંથી 26 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, હજુ 60-70 લોકો ફસાયા હોવાની આશંકા

દિલ્હીના મુંડકા વિસ્તારમાં એક ફેક્ટરી બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 26 લોકોના મોત નિપજ્યા છે તમામ મૃતદેહો મળી આવ્યા છે. હાલ ઘણા લોકો બિલ્ડીંગમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઘટના આજે સાંજે 4.45 કલાકે બની હતી.

મળતી માહિતી મુજબ મુંડકામાં સીસીટીવી અને ડીઆરવી બનાવવાની ફેક્ટરી છે. અહીં કારખાનાનું વેરહાઉસ પણ બનેલું છે. શુક્રવારે સાંજે પહેલા માળે આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે 150 થી વધુ લોકો અંદર કામ કરી રહ્યા હતા. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો સ્થળ પરથી બહાર દોડી આવ્યા હતા. આગ એટલી પ્રચંડ હતી કે ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. ત્રીજા માળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીના વેરહાઉસમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટના સ્થળે 27 ફાયર બ્રિગેડના વાહનોબિલ્ડિંગની બારીઓ તોડીને ધુમાડાની વચ્ચે લોકોને JCB મશીન અને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા, તો કેટલાંક લોકોને દોરડાંની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ છે, જે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે જ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સ્પોટ પર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.આગમાં 60-70 લોકો ફંસાયા હોવાની જાણકારી મળી હતી, જેમાંથી મોટા ભાગના લોકોને બચાવી લેવાયા છે.