કુપોષિત બાળકોને ધ્યાનમાં લઈને વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે જામનગરના તબીબે કર્યું ફ્રી નિદાન કેમ્પનું આયોજન

વિશ્વભરમાં ભારતનું નામ ગુંજતું કરનારા અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અનુરુપે તેમજ જામનગર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ મુંગરાના માર્ગદર્શન મુજબ સેવા પખવાડિયા અંતર્ગત ડો.કલ્પેશ એસ. મકવાણા , જામનગર જિલ્લાના નામાંકિત બાળરોગ નિષ્ણાંત , કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત , કુપોષિત બાળકોને અનુલક્ષીને , તેમના દ્રારા અવિરત ૧૪ મા ફ્રી કેમ્પનું આયોજન કાલાવડ તાલુકાના મોટા વડાળા ખાતે PHC મા તા.૧૮/૦૯/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું . જેમાં બાળકોના આરોગ્ય વિશે જાગૃતિ વધારવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકોને પ્રાધાન્ય આપવા વિનામુલ્યે નિદાન તેમજ વિના મુલ્યે દવા વિતરણના કેમ્પનુ આયોજન તેમના હોસ્પિટલનાં સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમા કુપોષિત બાળકોની સાથે સાથે , વાતાવરણના લીધે તાવ, શર્દી, ઉધરસ, ઝાડા- ઉલ્ટી , તેમજ અપચો થવો, ચામડીના રોગો જેવા અનેક પ્રકારના બાળ દર્દીઓને તપાસવામા આવ્યા હતા અને બહોળી સંખ્યામા લોકો એ કેમ્પનો લાભ લિધો હતો.

આ કેમ્પમા કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ એમ.પિ. ડાંગરિયા , કાલાવડ તાલુકા ભાજપ મહામંત્રી છગનભાઈ સોરઠિયા , એ.પિ.એમ.સી. કાલાવડ ચેરમેન યુવરાજસિંહ જાડેજા , સરપંચ શ્રી નિકુંજભાઈ કોટડિયા , ઉપસરપંચ ઈકબાલભાઈ , રાજેશભાઈ સોજીત્રા , ધિરુભાઈ મેનપરા, હિતેષભાઈ વાડોદરિયા , તેમજ મોટા વડાળા ગ્રામ પંચાયત સદસ્યો અને આસપાસ ના ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા અને લોકોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.