Site icon Meraweb

6 માર્ચથી શું ફરી પાટીદારો પકડશે  આંદોલનની રાહ ?

જેમ યુક્રેન માટે એક એક દિવસ એક એક  ઘડી ભારે છે તેમજ ભાજપ સરકાર માટે ૬ માર્ચ સુધી એક એક મિનિટ ભારે રહે તો નવાઈ નહી.. કેમકે આગામી ૬ માર્ચ સુધીનું ગુજરાત સરકારને અલ્ટીમેટમ  અપાયું છે અને જો આ અલ્ટીમેટમ પર કામ ન કરાયું તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત સરકારે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે…..

પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા  માટે પાટીદાર આગેવાનો ઉંચા નીચા થઇ હોવાથી ભાજપમાં ઉચાટ છે.. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો ૨૩ માર્ચ સુધીમાં ગુજરાત સરકાર પાટીદારો પર કરેલા કેસો પાછા નહિ ખેંચે તો પોતે આંદોલનમાં ઉતરશે.. આ અલ્ટીમેટમ સમયે તે પહેલા લેઉવા પાટીદારોના સૌથી મોટા ધર્મસ્થાન ખોડલધામના નરેશ પટેલ મેદાને આવ્યા નરેશ પટેલના આશીર્વાદથી હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને પાસના આગેવાનોએ અલ્ટીમેટમ આપ્યું છે…..

પાસનું અલ્ટીમેટમ છે કે જો કેસ પાછો નહીં ખેંચાય તો ૬ માર્ચથી પાટીદારો ફરીથી આંદોલન કરશે…..

૬ માર્ચને હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના આગેવાનો શું કરે છે તેના પર સૌની નજર છે … મહત્વની વાત એ છે કે પાટીદાર સમાજના સર્વેસર્વા નરેશ પટેલે આ આંદોલનને આશીર્વાદ આપ્યા છે… અલ્પેશ કથીરિયા , દિનેશ બાંભણિયા , ધાર્મિક માલવિયા વગેરે નેતાઓ ગત સપ્તાહે ખોડલધામમાં નરેશ પટેલને મળ્યા હતા… પાટીદાર અનામત અંદોલન સમિતિના આગેવાનો સાથેની નરેશ પટેલ ની બેઠક પછી ફરી આંદોલન તેજ કરવાનો નિર્ણય લેવાયો છે…

શનિવારે બપોરે નિર્ણય લેવાયો બાદ સાંજે રાજયભરના પાટીદાર આંદોલન સમિતિના કાર્યકરો સાથે પાટીદાર નેતાઓએ બેઠકો પણ શરૂ કરી દીધી છે નરેશ પટેલના વલણથી ભાજપને સમજાતું નથી કે નરેશ પટેલ આખરે  શું કરવા માંગે છે? નરેશ પટેલ રાજકારણમાં આવશે તેવી વાત લાંબા સમયથી ચાલે છે પરંતુ નરેશ પટેલ મગનું નામ મરી પાડતા નથી… નરેશ પટેલ સી.આર પાટીલ ને મળ્યા તેથી તેઓ ભાજપમાં પ્રવેશે તેવી વાતો ચાલે છે ત્યાં હવે આ નવો ફણગો ફૂટ્યો છે .. એવો સવાલ પણ થઈ રહ્યો છે કે પાટીદાર આંદોલન શરૂ કરાવીને પટેલ પોતાના રાજકારણમાં પ્રવેશનો તખ્તો તૈયાર કરી રહ્યા છે? આમ આદમી પાર્ટીના પ્રવિણ રામ અને નિખિલ સવાણી મળ્યા તેના બીજા દિવસે પાસના નેતા પટેલને મળ્યા અને આ મોટો નિર્ણય લેવાઇ ગયો.. આ યોગાનું યોગ છે કે પછી ચોક્કસ વ્યૂહ રચના સાથે કરવામાં આવ્યું છે ?  તેવા સવાલો પણ થઈ રહ્યા છે….