જામનગર શહેરમાં આજે ભવ્ય શિવ શોભા યાત્રાનું આયોજન કરાયું…કોરોના કાળના કારણે 41 વર્ષથી યોજાતી શોભા યાત્રા મોકૂફ રહી હતી ….ત્રણ વર્ષ પછી આજે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરાયું….ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શિવ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું…આ પૂર્વે પાલખીનું પૂજન કર્યું હતું…
છોટીકાશીમાં હિન્દૂ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પરંપરાગત રીતે ૪૧મી શિવશોભાયાત્રાનો સિધ્ધનાથ મહાદેવ મંદિરેથી પ્રારંભ થયો…સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમ , શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિરલ બારડ , ઉપાધ્યક્ષ યતીન પંડ્યા , કિશન વઢવાણ, કેતન કોટક સહિતના આગેવાનો શિવ શોભાયત્રામા ઉપસ્થિત રહ્યા હતા.. ભાજપ અધ્યક્ષે સૌ ભાવિકોને શક્તિ…ભક્તિના પર્વની શુભકામનાઓ પાઠવી….શિવ શોભાયાત્રા નગર ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી….ભાજપ અધ્યક્ષે યુક્રેઇનમાં ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે પરત લઈ આવવા માટે સરકાર કટિબદ્ધ હોવાનો દાવો પણ કર્યો….
છોટાકાશી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું , પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
